NotesWhat is notes.io?

Notes brand slogan

Notes - notes.io

*-તુષાર રાજા* *ઠોકરે ખાકર ભી ના સંભલે તો મુસાફિર કા નસીબ,* *વરના પથ્થરોને તો અપના ફર્જ નિભા હી દિયા થા* ભારતના એક વખતના સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ વિવાદ જગાવનાર આધ્યાત્મિક ગુરુ ‘ઓશો રજનીશ’ને આજે પણ લાખ્ખો અનુયાયીઓ ભગવાનની માફક જ પૂજે છે. એક કોલેજના પ્રોફેસર તરીકેની કેરિયરની શરૂઆતથી ‘ભગવાન રજનીશ’ અને ‘ઓશો રજનીશ’ સુધીની એમની સફર એકદમ રોમાંચક છે. મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના કુચવાડા નામના ગામમાં જન્મેલ રજનીશજીનું મૂળ નામ ચંદ્રમોહન જૈન હતું. તેઓ 11 ભાઈ બહેનોમાં સૌથી મોટા હતાં. હાઇસ્કૂલના શિક્ષણ દરમ્યાન ‘આર એસ એસ’ અને 'ઇન્ડિયન નેશનલ આર્મી ' જેવી સંસ્થાઓમાં સક્રિય રહેલા રજનીશનો જન્મ થયો ત્યારે જન્મ કુંડલી બનાવનાર જ્યોતિષીએ તેમનું આયુષ્ય ફક્ત સાત વર્ષનું હોવાનું જણાવ્યું હતું. કહેવાય છે કે 21 વર્ષની ઉમરે તેમને ‘મૌલશ્રી’ વૃક્ષની નીચે પ્રબોધ જ્ઞાનની પ્રાપ્તિ થઇ. સાગર વિશ્વ વિદ્યાલયમાં દર્શન શાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશન અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ, રામપુર સંસ્કૃત કોલેજ અને જબલપુર યુનિવર્સીટીમાં તેમણે ભણાવવાનું શરુ કર્યું. આ સમય દરમ્યાન તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને પ્રવચનો અને શિબિરોનું આયોજન કર્યું. અને ત્યાર પછી બે વર્ષ બાદ નોકરી હંમેશ માટે છોડી દીધી અને ત્યાર બાદ 'ઓશો' બનવા તરફનો તેમનો પ્રવાસ શરુ થયો. તેમણે આપેલા પ્રવચનોનું રેકોર્ડીંગ અને પુસ્તકમાં રૂપાંતર સૌપ્રથમ 1964માં રાણકપુર શિબિરમાં તેમણે આપેલ પ્રવચનો પરથી કરવામાં આવ્યું. ‘પાથ ટુ સેલ્ફ રીયેલાઈઝેશન’ નામથી પ્રસિધ્ધ થયેલ આ પુસ્તક સમગ્ર ભારતમાં ઘણું જાણીતું થયું હતું. દરમ્યાન,તેમની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી હતી અને હવે લોકો તેમને 'આચાર્ય રજનીશ'ના નામથી બોલાવવા લાગ્યા હતાં, ત્યાર પછી થોડા સમય પછી મુંબઈમાં તેમનાં અનુયાયીઓ દ્વારા તેમનાં નામનું એક ફાઉન્ડેશન શરુ કરવામાં આવ્યું, આ ફાઉન્ડેશનની મુખ્ય ઓફિસ તે સમયે મુંબઈમાં રાખવામાં આવી હતી,જેને પછીથી પુના ‘કોરેગાંવ પાર્ક’ ખાતે ખસેડવામાં આવી હતી. આ ફાઉન્ડેશન હાલમાં 'ઓશો ઇન્ટરનેશનલ મેડીટેશન સેન્ટર' તરીકે જાણીતું છે. 1971 થી 1974નાં પુના આશ્રમમાં તેમનાં વસવાટ દરમ્યાન તેઓ રોજ ૯૦ મિનીટ પ્રવચન આપતા. ઓશોએ એકવાર પોતાના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે આ તેમનો પુનર્જન્મ છે. પોતાની વાત આગળ વધારતા તેમણે કહ્યું કે, તેઓ 750 વર્ષો પહેલા તિબેટમાં જન્મ્યા હતાં. ત્યાં પણ તેઓ આવું જ જીવન જીવતા હતાં, એક મહત્વની સાધના કરી રહ્યા હતાં તે દરમ્યાન,સાધના પૂરી થવામાં ત્રણ દિવસની વાર હતી ત્યારે જ તેઓનું અવસાન થતા આ સાધના અધુરી રહી ગઈ હતી આથી તેમને ફરીથી જન્મ લેવો પડેલ હતો. રજનીશજીના પ્રવચનો, તેમનાં જીવન સાથે સંકળાયેલા અનેક ચમત્કારિક કહી શકાય તેવાં બનાવો,અને તેમનાં અનુયાયીઓ વિષે જાત જાતની વાતો તે સમયે પ્રસિધ્ધ થતી હતી. તેમનાં જન્મથી લઈને શાળા કોલેજ સમય દરમ્યાન અને ત્યાર પછીના સમય દરમ્યાન તેમની સાથે બનેલા ચમત્કારિક કહી શકાય તેવાં બનાવો પણ સાંભળવા મળતા હતાં. જેમ કે,વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન રજનીશજીને તરવાનો ખૂબ જ શોખ હતો. સ્વીમીંગની એક સ્પર્ધામાં રજનીશજીએ ભાગ લીધો હતો ત્યારે સતત બે દિવસ સુધી તેઓ લાપતા રહેતા તેમની શોધખોળ કરવામાં આવી,અંતે તેઓ મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ બે દિવસથી સતત સ્વીમીંગ કરી રહ્યા હતાં! તેમનાં વિષે અન્ય એક વાત પણ જાણીતી થયેલ હતી. 1951ની સાલમાં તેમણે હિતકારીણી સીટી કોલેજમાં એડમીશન લીધું હતું. આ કોલેજના અભ્યાસ દરમ્યાન લોજીક વિષય ઉપર પ્રોફેસર લેકચર આપતા હતાં ત્યારે આ વિષય ઉપર રજનીશજીને તેમની સાથે ડીબેટ થતા રજનીશજીની તર્કબધ્ધ દલીલો અને રજૂઆતો સાંભળીને બધા વિદ્યાર્થીઓએ તેમને જોરદાર તાળીઓથી વધાવી લેતા આ પ્રોફેસરને ગમ્યું ન હતું. આ વાત જયારે પ્રિન્સિપાલ પાસે પહોચી ત્યારે તેમણે રજનીશજીને બોલાવીને કહ્યું કે અમે પ્રોફેસરને તો કોલેજમાંથી દૂર કરી શકીએ તેમ નથી આથી તમે અન્ય જગ્યાએ એડમીશન લઇ લો. ત્યાર બાદ ડી.એન.જૈન કોલેજના પ્રિન્સિપાલે તેમને બોલાવીને પોતાની કોલેજમાં એડમીશન લેવા આગ્રહ કર્યો,પરંતુ તેમણે આ માટે એક શરત રાખી હતી કે અમે તમને કોલેજમાં એડમીશન તો આપીએ પરંતુ તમારે લોજીકનો પીરીયડ ક્યારેય એટેન્ડ નહિ કરવાનો. આ શરત મંજુર રાખીને રજનીશજીએ આ કોલેજમાં પ્રવેશ લીધો હતો. રજનીશજીએ અનેક વિષયો પર હજ્જારો પ્રવચનો આપ્યા,જેને પુસ્તકો તથા ઓડિયો અને વિડીયો કેસેટોના રૂપમાં સંગ્રહિત કરવામાં આવેલ છે. તેમનાં પ્રવચનો પરથી લગભગ 600 જેટલા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા હતા. જુદા જુદા ધર્મોમાં ચાલતા પાખંડો અને ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરતા ધર્મગુરુઓના તેઓ સખત વિરોધી હતાં.તેમને ઝાટકવાનો એકેય મોકો તેઓ ચૂકતા નહિ. તેમની દ્રષ્ટિએ સન્યાસી એટલે એવી વ્યક્તિ કે જે પોતાના ઘર સંસાર,પત્ની અને બાળકો સાથે રહીને પારિવારિક અને સામાજિક જવાબદારીઓ નિભાવીને ધ્યાન અને સત્સંગનું જીવન જીવે.ફક્ત ભગવા વસ્ત્રો પહેરીને ઘર બહાર છોડીને જતાં રહેવાને તેઓ ભાગેડુવૃતિ કહેતા. તેમની ખ્યાતિ અને અનુયાયીઓની સંખ્યા હવે ઘણી વધી ગઈ હતી અને લોકો તેમને ' ભગવાન રજનીશ' તરીકે બોલાવવા લાગ્યા હતાં. ઓશો તેમનાં પ્રવચનમાં કહેતા,’ જીવનમાં પ્રેમ,ધ્યાન અને હાસ્ય મુખ્ય અને અનમોલ છે. પ્રબોધ એક સામાન્ય અવસ્થા છે,જેમાં આપણે દરેક જીવતા હોઈએ છીએ. ભાવનાત્મક બંધનોના કારણે આપણે ખુદને જ ઓળખી શકતા નથી. આપણે આપણી ભીતરમાં જ ધ્યાન ઉત્પન્ન કરવાની કલા શીખવી જોઈએ.’ લગાતાર 15 વર્ષો સુધી પ્રવચનો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા બાદ તેઓએ 1981 થી સાડા ત્રણ વર્ષ માટે મૌન વ્રત ધારણ કરી લીધું. 1984 માં તેમણે ફરીથી પ્રવચનો આપવાનું શરુ કર્યું.અને 1985 માં તેમણે વિશ્વપ્રવાસ શરુ કર્યો.પરંતુ આ દરમ્યાન તેમનું વિરાટ વ્યક્તિત્વ અને અદભૂત સંમોહનશક્તિ જોઇને બધા દેશોને જાણે તેમનો ડર લાગવા માંડ્યો હતો આથી ઘણા બધા દેશોએ તેમને પોતાના દેશમાં પ્રવેશની અનુમતિ ન આપી. 1989 માં તેમણે પોતાનું નામ 'ઓશો' રાખ્યું. ઓશોએ હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સૂફી, જૈન, વિગેરે અનેક ધર્મો ઉપર તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ, ઈશુ, નાનક, મીરા, ગૌતમ બુધ્ધ, રવીન્દ્રનાથ ટાગોર વિગેરે ઉપર પોતાની આગવી શૈલીથી એકદમ અદભૂત અને લોકોને સંમોહિત કરી દેતા પ્રવચનો કર્યા. ઓશો સમયપાલનના ચુસ્ત આગ્રહી હતાં.તેમને વાંચનનો ગજબનો શોખ હતો. આ ઉપરાંત તેમને સુંદર પેનથી લખવું ખુબ જ ગમતું. તેમને પોતાના ફોટો પડાવવાનું પણ બહુ ગમતું હતું. તેઓ ખાવાના પણ બહુ શોખીન હતાં.ચાંદીના થાળી વાટકામાં અને સોનાની ચમચીથી ખાવાનું જ તેઓ પસંદ કરતાં હતાં.તેઓને સુંદર મોટરોનો પણ બહુ શોખ હતો. તેમની પાસે 98 જેટલી રોલ્સ રોયસ મોટરોનો કાફલો હતો જે તેમને તેમનાં ભક્તો તરફથી ભેટમાં આપવામાં આવી હતી.તેમની ઈચ્છા હતી કે તેમની પાસે 365 રોલ્સ રોયસ મોટરો હોય. ઓશો દર્શન: જયારે વાણી મૌન હોય છે, ત્યારે મન બોલે છે.જયારે મન મૌન હોય છે ત્યારે બુધ્ધિ બોલે છે. જયારે બુધ્ધિ મૌન હોય છે ત્યારે આત્મા બોલે છે.અને જયારે આત્મા મૌન હોય છે ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. *તુષાર રાજા*
===
     
 
what is notes.io
 

Notes.io is a web-based application for taking notes. You can take your notes and share with others people. If you like taking long notes, notes.io is designed for you. To date, over 8,000,000,000 notes created and continuing...

With notes.io;

  • * You can take a note from anywhere and any device with internet connection.
  • * You can share the notes in social platforms (YouTube, Facebook, Twitter, instagram etc.).
  • * You can quickly share your contents without website, blog and e-mail.
  • * You don't need to create any Account to share a note. As you wish you can use quick, easy and best shortened notes with sms, websites, e-mail, or messaging services (WhatsApp, iMessage, Telegram, Signal).
  • * Notes.io has fabulous infrastructure design for a short link and allows you to share the note as an easy and understandable link.

Fast: Notes.io is built for speed and performance. You can take a notes quickly and browse your archive.

Easy: Notes.io doesn’t require installation. Just write and share note!

Short: Notes.io’s url just 8 character. You’ll get shorten link of your note when you want to share. (Ex: notes.io/q )

Free: Notes.io works for 12 years and has been free since the day it was started.


You immediately create your first note and start sharing with the ones you wish. If you want to contact us, you can use the following communication channels;


Email: [email protected]

Twitter: http://twitter.com/notesio

Instagram: http://instagram.com/notes.io

Facebook: http://facebook.com/notesio



Regards;
Notes.io Team

     
 
Shortened Note Link
 
 
Looding Image
 
     
 
Long File
 
 

For written notes was greater than 18KB Unable to shorten.

To be smaller than 18KB, please organize your notes, or sign in.